સિવિલ હોસ્પિટલમાં અગદાનની સરવાણી વહી : દરિયાપુરના 60 વર્ષીય ખોડીદાસ રામજીભાઈ મેંણાએ એક લિવર, બે કીડનીનું દાન કર્યું
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10052024_051501_ang.jpg)
- 10 May, 2024
સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી વહી રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 152મા અંગદાતાનું દાન મળ્યું છે. 152મા અંગદાનની વાત કરીએ તો અમદાવાદ દરીયાપુરના રહેવાસી 60 વર્ષીય ખોડીદાસ રામજીભાઇ મેંણાને દરીયાપુર ઘર પાસે જ રોડ ક્રોસ કરતા કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તારીખ 05-05-2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલમાં સારવાર દરમિયાન તારીખ 08-05-2024ના રોજ તબીબોએ ખોડીદાસભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા.
152 અંગદાન થકી બે કીડની, એક લીવરનુ દાન..
અચાનક આવી પડેલ આવી દુ:ખની ઘડીમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહેન્દ્રભાઇને ખોડીદાસભાઈના બ્રેઇનડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા બીજા ભાઇઓ સાથે વાત કરતા ત્રણેય ભાઇઓએ સાથે મળી ખોડીદાસભાઈનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. ખોડીદાસભાઈના અંગદાન થકી બે કીડની, એક લીવરનુ દાન મળ્યુ જેને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
152 અંગદાતાઓ થકી કુલ 474 વ્યકિતઓને જીવનદાન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે, ખોડીદાસભાઈના અંગદાનથી કીડની તેમજ લીવર ફેઇલ્યોરથી પીડાતા અને મૃત્યુની રાહ જોતા ત્રણ દર્દીઓને આ અંગો મળતા તેમની અંગો મળવાની પ્રતિક્ષા પૂરી થશે અને તેમને નવુ જીવન મળશે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 152 અંગદાતાઓ થકી કુલ 490 અંગોનું દાન મળેલ છે. જેના થકી 474 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ